સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

Hurry up. YUVAROJAGAR SUBSCRIPTION ONLY Rs.200/-

He! Hurry.,
SUBCRIBE 4 YUVAROJAGAR LAST DATE-28.02.2011. SUBCRIPTION Rs.200/- before d.28.02.2011, AFTER Rs. 300/-.
YOU R A COMPANY/FIRM, Pls sent u'r advt. 100% free publised in our weekly. READ FOR MORE DETAILS: http://pravinshrimali.wordpress.com
or www.indiamart.com/yuvarojagar
contact: +91 9067706156

Hurry up. YUVAROJAGAR SUBSCRIPTION ONLY Rs.200/-

He! Hurry.,
SUBCRIBE 4 YUVAROJAGAR LAST DATE-28.02.2011. SUBCRIPTION Rs.200/- before d.28.02.2011, AFTER Rs. 300/-.
YOU R A COMPANY/FIRM, Pls sent u'r advt. 100% free publised in our weekly. READ FOR MORE DETAILS: http://pravinshrimali.wordpress.com
or www.indiamart.com/yuvarojagar
contact: +91 9067706156

બુધવાર, 8 જુલાઈ, 2009

ગુજરાતી બ્લોગરો, પ્લીઝ નોટ ટોપિક!! છીંડુ પાડી ઊભા પાકમાં ભેળણ કરશો નહીં

ગુજરાતી બ્લોગરો, પ્લીઝ નોટ ટોપિક!! છીંડુ પાડી ઊભા પાકમાં ભેળણ કરશો નહીં

આજકાલ કોપી પેસ્ટ ની ચર્ચા જોર પર છે, તેમાં આપણે પણ લો ડુબકી લગાવી દીધી.

-કોઇપણ સર્જક ની પોતાની સ્વરચિત કૃતિ માટે "તેના કોપીરાઇટ હક્ક અબાધિત અને સુરક્ષિત રહેવા જોઈએ" કોપી પેસ્ટ એક ગુનો છે. પરંતુ જો સર્જકની-તેના માલિક ની પરવાનગીથી પ્રગટ કરવામાં આવે તો તે ગુનો નથી. પરવાનગી લઈને અને પોતાનો કિંમતી સમય અને પુસ્તક કે નેટના પૈસા ખર્ચીને કોઈ પોતાના બ્લોગમાં તે પ્રગટ કરે તો તે ગુજરાતી સાહિત્યની સેવા જ ગણાય !! પણ આમાં પ્રોબલેમ એ છે કે આજકાલ તો ઘણાંખરા બ્લોગો અન્ય કવિઓ-ગઝલકારો ની રચનાઓ જ દરરોજ પ્રગટ કરવામાં પડી ગયા છે, જયારે કોઈપણ બાબત નું અતિક્રમણ થાય ત્યારે, તે બાબત ભયજનક કહેવાય ! આમાં બિચારા જે નવા સવા ઊગતાં સર્જક બ્લોગરો કે જે ખરેખર મૌલિક લખાણ લખી જાણે છે તે પડદા પાછળ રહી જાય છે.

-કંઇ પણ મહેનત વગર, લાગણી નું વાવેતર કર્યા વગર કોઈક ની વાવેલ ફસલ - ઊભાં પાક માં હરાયા ઢોર બનીને ખાઈ જવી, તેને ઉપદ્રવ કહેવાય, અન ન્યુસન્સ કહેવાય! જો તમને લખતાં જ નથી આવડતું તો પછી બ્લોગર બનવાનો અર્થ શૂં ?! ખાલી નેટ પર નામ કમાવવા કે બ્લોગરમાં છિડું પાડવા માટે ?
આના માટે ગુજરાતી જગતનાં બ્લોગરોએ જ આગળ આવવું પડશે.

-મેં નોધયું છે કે પ્રસિધ્ધ કવિઓ-ગઝલકાર ની કૃતિઓ ને પોતાના બ્લોગ માં રોજે-રોજ પોસ્ટ કરનારા બ્લોગરો ને આપણે કોમેન્ટ કે પ્રતિભાવો નો વરસાદ વરસાવીએ છીએ, વાહ-વાહ કરીએ છીએ અને સૌથી વધુ કોમેન્ટો તેમને જ મળે છે, જયારે જે મૌલિક સર્જન કરીને પોતાની કૃતિ પ્રગટ કરે છે,તેને આપણે કોમેન્ટ તો શું, તેના બ્લોગને હીટ પણ કરતાં નથી !! નવોદિત બ્લોગર-સર્જ્ક ને પ્રોત્સાહિત કરવા માટે આપણા માંથી કેટલા તેમના બ્લોગો વાંચીને તેમને પ્રોત્સાહિત કરતી કોમેન્ટ લખીએ છીએ ?! ખુબ જ ઓછા વ્યકિતઓ નવા બ્લોગર ને પ્રોત્સાહિત કરે છે.

-બીજી મોનોપોલી એ છે કે સ્ત્રી બ્લોગરો પર આપણે વધારે વરસી પડીએ છીએ…કોમેન્ટૉનો વરસાદ અને વાહ-વાહ !(બેનો ખોટું લગાડતા નહીં !!)

- બાય ધ વે..આ રચના ની માત્ર રજુઆત તેમને તેમના બ્લોગમાં કરી હોય છે અને વાહ-વાહ બ્લોગરની !!

-જેના પુસ્તકમાંથી રચના લઈને આપણ ને પીરસી હોય છે તે મુખ્ય રચનાકાર-સર્જક ને કોણ પ્રતિભાવ આપવા જાય છે કે વાહ-વાહ કરે છે ?!

- પ્રવિણ કે.શ્રીમાળી

ગુરુવાર, 2 જુલાઈ, 2009

જોબ...જોબ...નૌકરી ખાલી છે ગુજરાત માં !

જોબ...જોબ...નૌકરી ખાલી છે ગુજરાત માં !

એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કંપની ને નીચે જણાવેલ જગ્યાઓ માટે કાયમી ધોરણે અનુભવી ઉમેદવારો જોઈએ છે.

૧.) મશીન ઓપરેટર

પોસ્ટીંગ જગ્યા ; ઉંઝા-ઉનાવા (ઉ.ગુજરાત)

લાયકાત ; ડિપ્લોમા અથવા આઇ.ટી.આઇ ઇન કોમ્પ્યુટર

પગાર ; ૪૦૦૦

૨.) એકાઉન્ટટ

પોસ્ટીંગ જગ્યા ; અમદાવાદ (ગુજરાત)
લાયકાત ; બીકોમ (ટેલી તથા ઇ-બેકીંગ )
પગાર ; તમારો હાલ નો પગાર, તમે જે પગાર મેળવવા માંગતાં હોવ તે, કેટલાં દિવસ માં નૌકરી માં જોડાઈ શકશો
તથા તમારો સંપર્ક કરવા માટે તમારો મો. અથવા ફોન નંબર, સરનામાં સાથે નીચે જણાવેલ ઈ-મેલ એડ્રેસ પર તમારો અપડેટ બાયોડેટા
આજે જ મેલ કરો
ઈ- મેલ ; rapidoverseas@bsnl.in


વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો

----Inline Attachment Follows-----

(1) Rapid Overseas Machine Operator

To operate fully Computerized bicromatic Sortex Machine.
so candidate should be diploma or ITI in computer

(2) Rapid Overseas Accountant

Knowledge of Tally, accounts, Computer,E- Banking and E-Commence.

Date: 10 June 2009 City/Town:Unjha-Unava Location:Gujarāt Wage/Salary: 4000 Start: soon Duration: soon Type: Full Time How to apply:email Company: Rapid Overseas Contact: Mr. Jignesh Patel Phone: Fax:Email: rapidovereas@bsnl.in

૩.) પેઇન્ટ મેન્યુફેકચર કંપની ને જોઇએ છે - પ્રોડકશન ઇન્ચાર્ઝ/મેનેજર

પોસ્ટીંગ જગ્યા ; રાજકોટ (ગુજરાત)

લાયકાત ; ગ્રેજ્યુએટ અને ૨ થી ૩ વર્ષ નો કેમિકલ પ્રોડકશન નો અનુભવ

લક્ષ્ય હાંસલ કરી શકે તેવા અનુભવી

પગાર ; તમારા અનુભવ અને આવડત પર

તમારો હાલ નો પગાર, તમે જે પગાર મેળવવા માંગતાં હોવ તે, કેટલાં દિવસ માં નૌકરી માં જોડાઈ શકશો

તથા તમારો સંપર્ક કરવા માટે તમારો મો. અથવા ફોન નંબર, સરનામાં સાથે નીચે જણાવેલ ઈ-મેલ એડ્રેસ પર તમારો અપડેટ બાયોડેટા
આજે જ મેલ કરો
ઈ-મેલ ; niravvora@indiatimes.com
વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો

----Inline Attachment Follows-----



J.K. Paints & Resin Pvt. Ltd.

Production Incharge / Manager

We are small scale paint manufacturing company and we require production manager for our factory. The person will be responsible for production planning, coordination, man power control, achieving production targets, controlling inventory. Person having 2-3 years of experience in paint manufacturing will be prefered. Person worked in chemical plant having 2-3 years experience can also be considered.

Date: 4 June 2009 City/Town:Rajkot Location:Gujarāt Wage/Salary: Can be decided upon experience, skill and commitment Start: 1-6-2009 Duration: Permanent Type: Full Time How to apply:Candidate can mail their Biodata also can contact on Phone. Company: J.K. Paints & Resin Pvt. Ltd. Contact: Nirav Vora Phone: Fax:Email: niravvora@indiatimes.com


(નોંધ ; પ્રિય વાચક મિત્રો , અહીં પ્રગટ કરવા માં આવેલ જાહેરાતો અમને મળેલાં ઈ-મેલો ને આધારે ગુજરાતી માં ભાષાન્તર કરી ને તમારી સમક્ષ મુકીએ છીએ તેથી અસલ વિગત તથા માહિતી માટે ' વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો ' તે લખેલ ફકરા પછી નાં અંગ્રેજી માં આપેલ વિગત જ અસલ માનવી તથા આ જાહેરાત થી થતાં ફાયદા - ગેર ફાયદા કે નુકશાની માટે અમો જવાબદાર નથી.

અહીં પ્રગટ થતી જાહેરાતો ની અરજી કરવાની વેલેડિટી પાંચ અને વધુ માં વધુ સાત દિવસ ની રહેશે. ત્યાર બાદ અરજી કરવી નહીં

અને હા, આપ જો કોઇ ફાર્મ કે કંપની કે ફેકટરી નાં માલિક હોય અથવા તમારે કોઇ સ્ટાફ જોઈ તો હોય તો અમને તમારી રીક્રુટમેન્ટ અમને જરુરથી મોકલો અમે તમારી રીક્રુટ્મેન્ટ અહીં ફ્રી માં પ્રગટ કરીશું
તમારે સ્ટાફ જોઈ તો હોય તો અમને ઝડપથી આજે જ ઈ-મેલ કરો

ઈ - મેલ ; premshrimali47@gmail.com અથવા yuvarojagar@in.com )


બુધવાર, 1 જુલાઈ, 2009

વિદેશીઓ નો ભારતીયો પર હુમલો-આધુનિક કહેવાતા ગોરાઓનું વિકૃત માનસ !!

વિદેશીઓ નો ભારતીયો પર હુમલો-આધુનિક કહેવાતા ગોરાઓનું વિકૃત માનસ !!

(સમાચાર લાઈન સૌજન્ય ;અકિલા દૈનિક)


આ સમાચારો તમે અનેક દૈનિકોમાં વાંચ્યાં અને સાંભળ્યા હશે. ઉચ્ચશિક્ષણ મેળવેલાં, આધુનિક ગણાતાં, ટેકનોલોજી અને વિજ્ઞાન માં આગળ પડતાં ગોરાઓ, આપણને અંધશ્રદ્ધાળુ, ઊંચ-નીચ નો ભેદભાવ રાખતાં, અભણ-ગમાર કે એકવીસમી સદીથી પાછળ ગણે છે.અને આપણે છીએ પણ ખરા !! કેમકે હજુ સુધી આપણે ઊંચ-નીચનાં ભેદભાવ રાખીએ છીએ, આજે પણ ભારત માં ઘણાં ગામડાઓ અને નાનાં શહેરોમાં દલિતો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે, તેમને અછુત ગણવામાં આવે છે. ગમે તેટલું ઉચ્ચ શિક્ષણ મેળ્વયું હોય છતાં અને શહેરમાં રહેતાં હોય છતાં, કેટલાંય લોકો માનસિક રીતે તો દલિતો ને નીચી નજરેથી - તેમનાથી નીચા જ ગણે છે !

આપણે ભારતીયો- કુતરા-બિલાડા, ગાય-ભેંસ જેવા પ્રાણીઓ ને હોંસેથી પાળીએ છીએ-પોસીએ છીએ, તેમનાથી કોઈ અંતર રાખતાં નથી, પરંતું એક જ શરીર રચના, એક જ લોહી દ્યરાવતાં આપણે, માણસ-માણસ વચ્ચે ભેદ રાખીને -એક માણસ બીજા માણસ ને અછૂત ગણે તેનાથી મોટું અચરજ અને મોટી શરમની વાત કંઈ હોઈ શકે ?! જો આ વાત પશુઓ સમજી શકતાં હોત તો આપણાં પર જરુર હસતાં !!

જાણીતા પત્રકાર શ્રી ઉર્વેશ કોઠારી એ તેમના બ્લોગનાં લેખ માં સાચે જ કહ્યું છે કે હાલ માં તો ઓસ્ટ્રેલીયા માં રહેલાં ભારતીયો
" ઓસ્ટ્રેલિયા ના દલિતો " કહેવાય !!

પરંતું હાલ માં આપણે ગોરાઓની વાત કરવાની છે કેમકે, આપણાં કરતાં ઘણાં આગળ નીકળી ગયેલાં આ પસ્ચિમ નાં કહેવાતા આધુનિક વિચાર વાળા ગોરાઓ જયારે આપણાં કરતાં બે પાવડા ઊંધા વાળે તેમ આ ભેદભાવ વાળી વિચારસરણી માં આપણાં કરતાં ઘણાં પાછળ છે, તેમ આ ઓસ્ટ્રેલિયા અને કેનેડા માં થયેલાં ભારતીયો પર નાં હુમલાઓ પરથી લાગે છે.હજુ પણ હુમલાઓ ચાલુ જ છે.
આ લખાય છે ત્યાં ગઈ કાલે હૈદ્રાબાદ નાણ અલી રાજા ખાન નામનાં ભારતીય પર બે ઓસ્ટ્રેલિયન સ્ટુપીડ સ્ટૂડન્ટૉ એ હુમલો કરી જખ્મી કરી ને લુંટી લીધો અને તેજ કહેવાતી ત્યાં ની પોલીસ આવાં હુમલાં ખોરોને પકડવા ને બદલે આડાં-અવળાં ફાંફા મારે છે.

એશિયાનાં સૌથી વધુ વિધાર્થીઓ ઓસ્ટ્રેલિયા અને કેનેડા માં ભણવા જાય છે. પરંતું ત્યાં ની બિલાડા નાં ટોપની જેમ ફૂંટી નીકળેલી શિક્ષણ સંસ્થાઓ કેટલી માન્ય છે તે આપણાં ભારતીયો તો શું, પરંતું ઓસ્ટ્રેલિયનો ખુદ નથી જાણતાં !! તે ડીગ્રી કેટલી માન્ય છે ?, તેનાથી શું લાભ થશે ? તેનાથી નૌકરી મળશે કે નહીં ? આ બધું રામ જાણે ?? આપણે તો બસ હરખાયે છીએ, મારા બાબા કે બેબી ને ઓસ્ટ્રેલિયા ભણવા મોકલ્યો છે ! સમાજ માં વટ પડી ગયો ! આ વટ પાડવા માં આપણે ચવાણાં નાં ભાવ માં તૂટી ગયાં હોય , માથે દેવા નો ડુંગર હોય તોય છાતી ઠોકીને ફરવાનું ?! કેમકે, છોરા-છોરી નું કયાંક ઝલ્દી ગોઠવાઈ જાયને ?! ભયો ભયો ભાઈ !! આ છે આપણી મોનોપોલી !

જયારે ગોરાઓ ને તો ચાન્સ મળે તો હજુએ તેમને આપણાં પર રાજ કરવું છે. શ્વેત-અશ્વેત જેવાં રંગભેદો નું બિજ તો વર્ષોથી તેમને બોઅઈ દીધું છે. ખબર નથી તેમને કંઈ આભડછેટ નડે છે, પરંતું એટલી વાત ચોક્કસ છે કે આપણૉ વિકાસ તેમને જોયો જાતો નથી !! આપણે આગળ આવી એ તેમા તેમની સત્તા લુંટાઈ જાય છે, તેમને આખા વર્લ્ડ પર રાજ કરવું છે. ભારત વિકાસશીલ દેશ છે અને વિકાસતરફ મોટી હરણફાળ ભરી રર્હ્યો છે ત્યારે તે જોઈને આ લોકો નાં પેટ માં તેલ રેડાય છે !!

આપણી ગરીબ પ્રજાના ફોટા પાડીને ત્યાં વિદેશમાં જઈને, બતાવી ને "ધીસ ઈઝ એ ઈન્ડિયા " કહેનારા, આ વિકૃત માનસ વાળાં ગોરાઓ નાં હાલ માં ભારતીયો ને ખુલ્લે આમ લુંટતાં ફોટાઓ જોઈને હવે આપણે કહેવું જોઇએ " ધીસ ઈઝ એ ઓસ્ટ્રેલિયા" !! પરંતું આપણાં માં તે કહેવાની ખુમારી આવી નથી , કેમકે જયાં સુધી આપણે આપણાં ભારતનાં શિક્ષણ ને ઊંચા દરજ્જાથી-ઊંચી નજરથી નહીં જોઈએ ત્યાં સુધી ખુમારી આવશે નહીં !! આપણ ને વિદેશી નામનાં માર્કા વાળી ચીઝ-વસ્તુઓનું વળગણ ઓછું નહીં થાય ત્યાં સુધી, આપણાં માં આવી ખુમારી નહીં આવે !

બાકી હાલમાં તો આ ગોરાઓ આપણાં થી નીચા !! કેમકે, "વસુંમ્બધૈવ કુટુંબકમ" ની ભાવનાં તેમનાં માં કયાં છે?!

જય હો યુવા મહિલા સાંસદોમાં વદ્યારો...કુચ કરકે દિખાના હૈ !!

જય હો યુવા મહિલા સાંસદોમાં વદ્યારો...કુચ કરકે દિખાના હૈ !!

પંદરમી લોકસભા નાં પરીણામો ઘણાં ક્રાંતિકારી કહી શકાય, કેમકે લોકસભા માં પહેલી વાર પચાસ કરતાં વદ્યુ મહિલઓ ચૂંટાઈને આવી. આ લોકસભાની ચૂંટણીમાં ૬૧ મહિલઓ ચૂંટાઈને આવી તેમાં ૩૦ મહિલઓ ભણેલી-ગણેલી શિક્ષિત મહિલાઓ ૪૦ વર્ષ કરતાં નીચેની ઉંમરની યુવા સાંસદો છે.આ યુવા મહિલા સાંસદોમા કંઈક કરી બતાવવાનો, સમાજ અને રાષ્ટ્ર્ને પ્રગતિના પંથે આગળ દ્યપાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. જો આપણાં ખંઈબદેલા અને રીઢા થઈ ગયેલાં મોટી ઉંમરનાં -ઘરડાં, છતાં ખુરશીનો મોહ જતો નહીં કરનારા રાજકારણઓ રોડ વરચેનાં બમ્પની જેમ પોતાનાં ખાતાં માટે ખેંચાતાણી કરીને આ યુવા મહિલાઓને ખાતાં ના સોંપે તો પણ આ યુવા સાંસદો ચોક્કસ પોતાની કુનેહ અને આવડતથી પોતાના વિસ્તારમાં તો સેવાની મહેંક પ્રસરાવશે જ એમાં કોઈ શક નથી જાણો આ યુવા મહિલઓને અને ગુજરાતી -યુવા ગુજરાતણો માત્ર ગરબા અને દાંડિયાં ખેલવાને બદલે થોડું રાજકારણ પણ ખેલો વિકાસ અને લોકશાહીને બચાવવા માટે !!

(૧). મૌસમ નૂર ; સૌથી નાની ઉંમરની ૨૭ વર્ષની માસુમ મૌસમ નૂર લઘુમતી સમાજ માટે પ્રેરણાદાયી સાંસદ છે.મૌસમ નૂર રાજનૈતિક કુંટુમ્બમાંથી આવે છે, તેના ચાચા ગની ખાન ચૌદ્યરી કોંગ્રેસનાં દિગ્ગજ નેતા છે તથા તેમની માતા છેલ્લાં વીસ વર્ષથી દ્યારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા, પરંતુ તેમનું મૃત્યું થતાં તેમની જગ્યા એ સોનિયાજીએ એક તક મૌસમનૈ આપતાં, પશ્ર્વિમ બંગાળ ના માલદા (ઉત્તર) ક્ષેત્રેથી ચૂંટાઈને આવી.
અહીં બેરોજગારી એક મોટી સમસ્યા છે અને આ સમસ્યાને સુલઝાવવા અને પોતાની માતાના અદ્યૂરાં વિકાસનાં કાર્યોને પૂરા કરવા મૌસમ નૂર કટિબદદ્ય છે. આ માટે તેને કુટિર ઉદ્યેાગને ઉત્તેજન આપવાનાં યત્નો ચાલુ કરી દીદ્યા છે.

(૨). અગાથા સંગમા ; ૨૮ વર્ષની અગાથા સંગમા પૂર્વ લેાકસભા અદયક્ષ શ્રી એ.પી.સંગમા ની પુત્રી છે. અને મેઘાલય ની તુરા સીટ પરથી બીજી વાર ચૂંટાઈને આવેલ છે. યુવઓ અને મહિલઓને વદ્યારે સશકત બનાવવાને તથા પૂર્વોત્તર રાજયો અને શેષ ભારત વચ્ચેની ખાઈને મિટાવવા માંગે છે.અગાથા કાનૂની સલાહકાર તરીકે કામ કરી ચૂકી છે.

(૩). શ્રૃતિ ચૌદ્યરી ; ૩૩ વયની શ્રૃતિ સારી વકતા છે. હરિયાણાનાં પૂ.મુખ્યમંત્રી શ્રી બંસીલાલ ચૌદ્યરીની પૌત્રી છે અને તેની માતા કિરણ ચૌદ્યરી હડડા સરકારમાં કેબિનેટ મંત્રી હતા. તેનો સીધો મુકાબલો મંત્રી ઓમપ્રકાશ ચૌટાલા નાં પુત્ર અજય ચૌટાલા સાથે થયો હતો.તેને સીદ્યી માત્ત આપીને ચૂંટાઈ આવનાર શ્રૃતિ નું કહેવું છે કેઃ ‘ વિશેષ યુવઓ અને મહિલઓનાં સાથ-સહકાર મળવાથી તેની જીત થઈ અને તે વિશેષ યુવાવર્ગના ઉત્ત્થાન માટે કામ કરવા માંગે છે. ઓકસફોર્ડ યુનિ.માંથી કાનૂની ડિગ્રી મેળવનાર શ્રૃતિ ઓબામા બરાકથી ઘણી પ્રભાવિત છે અને તેની જેમ કામ કરવા માંગે છે.

(૪). હરસિમરત કૌર ; ૩૪ વયની હરસિમરત કૌર હાઈપ્રોફાઈલ બાદલ પરિવારની પુત્રવદ્યુ છે અને તે પંજાબ નાં ભટિંડા ક્ષેત્રેથી ચૂંટાઈને આવેલ છે. આ યુવા સાંસદ નું કામ અને જુંબેશ કાબિલે દાદને પાત્ર છે. ટેક્ષટાઈલ ડિજાઈનીંગ ની ડીગ્રી દ્યરાવતી હરસિમરત કન્યાભ્રૂણ ની થતી હત્યા નાં કલંકને જડથી ઉખેડવા અને આ રાજયમાં પુરુષ-સ્ત્રી ની સંખ્યાનાં તફાવત ને દુર કરવાં મકકમ રીતે કામ કરે છે. તેને માટે તેને 'નન્હી ચાન 'નામનો કાર્યક્રમ ચાલુ કર્યો છે અને તેમના પતિ સુખબીર સિંહ બાદલ મુખ્યમંત્રી બનતા આ કાર્યક્રમમાં વેગ આવ્યો છે. ભૂ્રણ હત્યા રોકાવા નાં કામની સાથે તે પર્યાવરણ નાં ક્ષેત્રે પણ કાર્યરત છે. તેને અહીં ની દ્યરતીને હરીર્ભરી હરિયાળી બનાવવાનું પણ બીંડુ ઝડપ્યું છે અને તેનું પણ તે અભિયાન ચલાવે છે.

(૫). મીનાક્ષી નટરાજન ; આમ ભારતીય તરીકે તરતજ યાદ રહી જાય તેવી સીદ્યીર્સાદી ૩૫ વયની મીનાક્ષી નટરાજન ગાંદ્યીજી નાં વિચારોને પોતાના જીવનમાં ઉતારી, પોતે પોતાના આચરણમાં અમલ માં મૂકીને એક જીવંત દ્રષ્ટાંત આપ્યું છે. સામાન્ય દેખાવ અને ખાદી પહેરતી મીનાક્ષી એ ચૂંટણી લડવા માટે પેાતાની પાર્ટી તરફથી મળેલ ભંડોળ નાં પૈસા બચતાં તે પૈસા પાર્ટી ને પરત કરીને એક નવો જ ઈતિહાસ બનાવ્યો છે.
અને સૌથી મહત્ત્વની વાત એ છે કે સતત છ વખત ચૂંટાઈને આવતાં તેના સામે ઉભેલાં ઉમેદવાર શ્રી લક્ષ્મીનારાયણ પાંડે ને હરાવ્યાં. કાયદાની ડીગ્રી દ્યરાવતી મીનાક્ષી બેરોજગારો માટે કામ કરવાં માંગે છે. તનું માનવું છે કે રાજનિતી મની અને મસલ પાવરથી મુકત હોવી જોઈએ.


(૬). જયોતિ મિર્દ્યા ; ૩૬ વયની, વ્યવસાયે ડોકટર પણ દાદા નાથૂરામ મિર્દ્યા ની રાજનીતિ તેને પણ વારસા માં મળી હોય તેમ પહેલીવાર નાગૌર થી ઊભી રહી ને જીત પણ હાંસલ થઈ. જયોતિ ને બાલિકઓ અને ગ્રામીણ સ્વાસ્થ્ય માટે કંઈક કરી જવાનો બુંલંદ ઈરાદો દ્યરાવે છે. રાજસ્થાનમાં પીવાના પાણી ની ખુબ જ મોટી સમસ્યા છે, તેને હલ કરીને લોકો ને ફલોરાઈડ મુકત પીવાનું પાણી મળે તે માટે તેની પાસે એક તૈયાર ફોર્મુલા તથા યોજના છે.

આ છે આપણી યુવા સાંસદો ની થોડીક ઝલક, પરંતુ આ બદ્યાં વચ્ચે એક સામ્ય છે કે આ બદ્યા નાં પરીવારોમાં એકાદ સભ્ય રાજનીતિ સાથે જોડાયેલ છે અને તેથી વારસા ગત રાજનીતિ મળી હોય તેમ લાગે છે. તેથી આપણાં મનમાં પણ સવાલ થાય છે કે એક આમ આદમી ને પાર્ટી ટીકીટ કેમ આપતી નથી ? અને જો ટીકીટ આપે તો આપણી પ્રજા એટલે કે આપણે એક આમ આદમી ને મત આપી ને વિજય બનાવી એ ખરા ?!...
કેમકે, આપણે ભારતીયો હંમેશા અભિનેતા-અભિનેત્રી કે ખેલાડી થી આકર્ષાઈએ છીએ, (અને આ વાત નેતાઓ સારી રીતે જાણે છે તેથી પ્રચાર માં હીરો-હીરોઈનો તથા ખેલાડીઓ ને સાથે લે છે અથવા ચૂંટણીમાં ઊભાં રાખે છે અને હીરો-હીરોઈનો તેના બદલામાં પૈસા લે છે) અને તેનો ભરપુર ફાયદો આ રજકારણીઓ ઉઠાવે છે. જે સમાજસેવાનો ‘ક’ એ ન જાણતો હોય તેવાં હીરો-હીરોઈનો ને કે ખિલાડીને આપણી ભોટ પ્રજા હોંશે-હોંશે અને ખોબલે ખોબલે મત આપી ને વિજયી બનાવી શોભા નાં ગાંઠિયાં ની જેમ વિદ્યાન સભા કે સંસદસંભા માં બેસાડી દે છે.ઓબામા બરાકની જેમ ભારતમાં આમ આદમી સીદ્યો વડાપ્રદ્યાન બને તે વાત આપણે પોતે જ અશકય બનાવી છે. કેમકે, આમ આદમી ને પાર્ટી ટીકીટ નથી આપતી કે આમ આદમી ચૂંટાઈને નથી આવતો તેનું મુખ્ય આ જ કારણ -આપણી આવી માનસિકતા!! તમારું શું કહેવું છે?..

મંગળવાર, 30 જૂન, 2009

બાળ મજુરી ! મુરજાતું ફુલ, કચડાતું બાળપણ !!

બાળ વિશ્વદિન ની મોટી-મોટી વાતો કરનારા આપણે તથા સમાજ્નાં કહેવાતા સમાજસેવકો જુઓ આ તસ્વિરો

-અને આ માસુમો ને અને સમજો તેમની મજ્બુરીને ! બાળ મજુરી હજુપણ ભારત માં રહેવાની જ, કેમકે, પેટનો ખાડો પુરવો પડે છે. ગરીબી તેમની મુખ્ય મજબુરી છે, બેકારી અને ગરીબી નો જયાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી ગમે તેટલા તમે કાયદા બનાવો, કંઇ ફરક પડવાનો નથી! જ્યાં ખાવાનાં ફાફાં હોય ત્યાં ભણવાનું તો ક્યાંથી હોય ?! રમવાનાં અને ભણવાનાં આ દિવસોમાં મજુરી કરી ઘરમાં મદદ રુપ થઈ ને બે ટંક નો રોટલો કાઢવો તેમનાં માટે મુખ્ય જરુરિયાત છે.

- તેને માટે આપણે જ આગળ આવવું પડશે, શું તમે આવાં બાળકો માટે કંઈક મદદ ન કરી શકો ?

-જો તમારો આત્મા હા પાડતો હોયતો, તમે આટલું જરુરથી કરો .

(૧). તમારાં બાળકો નાં પાછળનાં ધોરણનાં પડેલાં જૂનાં પુસ્તકો, નોટ બુકો, કંપાસ, કલર્સ, દફતર વિગેરે સ્ટેશનરી દાનમાં આપીને... અથવા આ કામ ટ્ર્સ્ટ, સંસ્થાઓ તથા સેવાભાવી મંડળો અથવા તમારી સોસાયટી કે ચાલીના યુવાનો ભેગાં મળીને આ કામ કરી શકે. કચ્છમાં "માનવ જયોત" નામે એક સંસ્થા જબરજસ્ત કામ કરે છે. તેને પોતે આ વાત અમલમાં મુકી દિધી છે. તે સુપેરે પક્ષીઓનાં કુંડાઓ બનાવીને દરેક જાહેર જગ્યાએ કે એર્પાન્ટમેન્ટમાં લટકાવીને પક્ષીઓને પાણી પીવડાવાં જેવું, આપણને નાનું લાગતું આ મોટું કામ આ સેવાભાવી સંસ્થા કરે છે, કોઈપણ પ્રચાર કે પબિલસીટી ની લાલચ વગર !!

(૨). સૌ પ્રથમ તો તમે તમારી આજુબાજુ આવા બાળકો હોય તો તેની માહિતી આપ આપણી રજાનાં દિવસો માં મેળવી ને તેને તમારી બાજુની સરકારી સ્કુલમાં ભરતી કરાવો. તેના માતા-પિતાને મળીને સમજાવો કે જે ખર્ચો થાય તે માટે અમે બેઠા છીએ. તેમને મળતાં સરકારી લાભો વિશે માહિતી આપો. સરકારી સ્કુલોમાં પ્રાથમિક શિક્ષણ મફત મળે છે. માત્ર તમારે તમારો કિંમતી સમય આ માટે આપવાનો છે.

(૩). કન્યાઓ ને સરકારી સ્કુલોમાં એડમિશન વખતે તેમના નામે બોન્ડ/વિકાસપત્ર આપવામાં આવે છે. તમારે માત્ર આવાં બાળકોનાં માતા-પિતાઓને સમજાવવા નાં છે. આંગળી ચીંદ્યાયાનું પુણ્ય તમારે લેવાનું છે !

(૪) વિધા દાન જેવું કોઈ મહાદાન નથી. તે નાનાં ભુલકાં નાં ચહેરામાં તમારા બાળકનો ચહેરો નિહાળો. એકવાર આ સેવાનું કાર્ય કરો, તમારે મંદિર માં રહેલાં ભગવાન ને ત્યાં પછી માથું ટેકવવાં જવાની જરુર કદાચ નહીં પડે!! અનુભવો કે આ કાર્ય કરવાથી તમાર મન અને આત્મા ને કેટલો સંતોષ મળે છે !!

(૫) તમે ખરેખર મનુષ્ય હોય તો માનવી ની માનવતા બતાવવાનું ભુલતાં નહીં !! આટલું અમલ માં મુકો તો શિક્ષણ અને રાષ્ટ્ર્ બંને ઊંચા આવી જ્શે.